નસવાડી: નસવાડી તાલુકાના આદિવાસીઓએ નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો.આવેદન પત્રમાં મુજબ 16 જેટલા મુદ્દાઓ લખીને આવેદનપત્ર આપવામાં આવ્યું.ભારતમાં દેશમાં વસતા 13 કરોડ આદિવાસીઓને અસ્તિત્વને ગંભીર નુકશાન થાય છે.જેમાં આદિવાસીઓને મળતા અનામતના લાભો કેવા કે શિક્ષણ,નોકરી,યોજનાઓના લાભો.રાજકીય અનામત ભારતના બંધારણની કલમ નં.13(ક) માં આદિવાસીઓની અલગ સંસ્કૃતિ,અસ્મિતા,પરંપરા,રૂઢિ પ્રથા,લગ્ન. મરણ ક્રિયાઓ કસ્ટમરી લો.બંધારણની કલમ 244 (1) અનુસૂચિ 5, 244(2) અનુસૂચિ 6,પૈસા એક્ટ, વન અધિકાર અધિનિયમ 2006. મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ 73(એ)73 (એ)(એ).જેવા આદિવાસીઓને મળેલા અધિકારો નાબૂદ થશે.તેનો વિરોધ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Decision News ને મળેલી માહિતી અનુસાર રંજન તડવી વકીલના જણાવ્યા અનુસાર નસવાડી મામલતદારને યુસીસીના વિરોધમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવીયે છીએ. યુસીસી આવશે તો અમારા સમાજોને નુકશાન જવાનું છે.આર્ટિકલ 244 અનુસૂચિ 5 અનુસૂચિ 6 માં સ્પષ્ટ જોગવાય છે.જે યુસીસી લાગુ કરવા જઈ રહ્યા છે અને અત્યારે જે પ્રાથમિક શિક્ષકોને કામગીરી સોંપેલી છે કે દરેક ગામમાંથી યુસીસી નાં અનુસંધાનમાં પાંચ ફોર્મ ભરવાના છે તેનો અમે વિરોધ કરીએ છીએ.

ટીનાભાઈ ભીલ આદિવાસી યુવા આગેવાનના જણાવ્યા અનુસાર આજ રોજ નસવાડી મામલતદારને યુસીસી મુદ્દા પર આવેદનપત્ર આપી વિરોધ કરીએ છીએ. અમને એ નથી ખબર પડતી એકબાજુ હર્ષ સંઘવી આપણા કાનૂન રક્ષા મંત્રી એવું કહે છે કે ગુજરાતમાં આદિવાસીઓને યુસીસી માંથી બાકાત રાખવાના છે.એકબાજુ શિક્ષકોને એવું કહેવામાં આવે છે કે યુસીસી નાં મુદ્દા પર ફોર્મ ભરાવી લાવો.આ સરકાર શું મનમાની કરવા માંગે છે એ અમને સમજ નથી પડતી.ખરેખર આદિવાસીઓને ચોખવટ કરો. એક બાજુ નાં પાડો છો તો બીજી બાજુ પ્રશાસનને કામે કેમ લગાડો છો.આ ગુમરાહ કરો છો.ખરેખર આદિવાસીઓને યુસીસી થી ફાયદો શું છે અને નુકશાન શું છે.એની સરકાર કોઈ વાત નથી કરતી.હજુ સુધી કોઈ નેતા.ધારાસભ્ય કે કોઈએ વાત નથી કરી. યુસીસી માટે ખુલ્લી ચર્ચા કરો ખુલ્લી ડીબેટ કરો અમે તૈયાર છે.