કપરાડા: તાલુકામાં ફાયર ફાઇટર નહીં હોવાથી ભવિષ્યમાં આગજનીની નવી ઘટનામાં વધારે નુકસાન નહી થાય તે માટે તાલુકા કક્ષાએ ફાયર ફાઇટર સાધન મુકવા સમસ્ત આદિવાસી સમાજ નવસારીના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે વલસાડ કલેકટર સમક્ષ માંગ કરી છે.

હાલમાં ઉનાળાની આગઝરતી ગરમીને લીધે નાનોસરખો તણખો પણ વિકરાળ આગનું સ્વરૂપ લઇ ભારે નુકસાન પહોંચાડી શકે છે. આવી જ ઘટના કપરાડા તાલુકાના ખુબ જ આંતરિયાળ ગામ બારપુડાના ધુરાપાડાના સજ્જનભાઈ કાંસુભાઈ જોગારેને ત્યાં બની જ્યાં આવનાર મે મહિનામાં ઘરમાં 2 લગ્નો હોવાથી પરિવારે મહેનત કરીને જમા કરાવેલ અનાજ સહિત તમામ કિંમતી સામાન બળીને રાખ થઇને લગભગ 8.50 લાખનું જંગી નુકસાન થવાથી શુભ પ્રસંગ નજીક હોઈ પરિવારની હાલત ખુબ જ કફોડી બની હતી. કપરાડા તાલુકો વલસાડ જિલ્લામાં વિસ્તારની દ્રષ્ટિએ અને ભૌગોલિક પરિસ્થિતિ અને વૈવિધ્યતાની દ્રષ્ટિએ ઘણો મોટો તાલુકો છે. આથી ફાયર ફાઇટર સાધનની સુવિધા નહીં હોવાથી બારપુડાની માફક આગજનીની કોઈ ઘટના બને તો મોટુ નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે. કપરાડા તાલુકો ખુબ જ ગરીબ બહુમતિ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને આટલુ જંગી નુકસાન કપરાડાના ગરીબ લોકોને પોષાય એવું નથી.

આ બાબત સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલને ધ્યાને આવતા તેમણે વલસાડ જિલ્લા કલેકટરને પત્ર લખી કપરાડા તાલુકા માટે ફાયર ફાઇટર સાધન વહેલી ટકે ઉપલબ્ધ કરી આપવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અઘ્યક્ષ હોવાને નાતે એમને અમે વિનંતી કરી છે કે કપરાડા તાલુકાના તાલુકા મથકે વહેલી તકે એક ફાયર ફાઇટર સાધન અનુભવી સ્ટાફ સાથે મૂકી આપવું જોઈએ જેનાથી અનેક ગરીબ લોકોને રાહત મળી શકે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here