નર્મદા: નર્મદા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષની થીમ  “Yes! WE CAN #End TB, Commit, Invest Deliver!” હેઠળ “ટીબી હારેગા દેશ જીતેગા”ના સૂત્ર સાથે રેલી યોજાઈ.

Decision News ને મળેલી માહિતી મુજબ જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસથી શરૂ થયેલી રેલી સફેદ ટાવર, સંતોષ ચોકડી થઈને તાલુકા આરોગ્ય કચેરી ટેકરા ફળિયા, રાજપીપલા ખાતે સંપન્ન થઈ. આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન વસાવાએ જણાવ્યું કે, નર્મદા જિલ્લાની 44 ગ્રામ પંચાયત ટીબી મુક્ત બની છે. એમ.ઓ.ડી.ટી.સી. ડૉ. હેતલ નાયકના જણાવ્યા મુજબ, જિલ્લા કક્ષાએ રેલીનું આયોજન કરી લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી.

રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ અને આરોગ્યકર્મીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. સહભાગીઓએ વિવિધ સ્લોગન, પ્લે-કાર્ડ અને બેનર્સ સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો. ટીમ બીરસામુંડા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ‘ટીબી મુક્ત ભારત’ વિષય પર નાટક રજૂ કરી જનજાગૃતિમાં વધારો કર્યો.