ધરમપુર: ગતરોજ 6:00 વાગ્યાની આસપાસ ઘરની પઝારીમાં નાયલોનની દોરી ગળે બાધી ધરમપુર તાલુકાના શેરીમાળ ગામના ડામા ફળિયાના કિરણભાઈ કાંતિભાઈ ગાંવિતે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના પ્રકાશમાં આવતાં જ ચકચાર મચી જવા પામી હતી.
Decision News ધરમપુર તાલુકાના શેરીમાળ ગામના ડામા ફળિયાના કિરણભાઈ ગાંવિતે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ ધરમપુર પોલીસ ઘટના સ્થળ પર રાત્રે પોહચી લાશનો કબજો લઇ સ્ટેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોનું કહેવું છે કે પરિવારના ઝગડાથી કંટાળીને કિરણભાઈએ આ આપઘાતનું પગલું ભર્યું હશે… વધુ કોઈ ચોક્કસ કારણ હાલમાં સામે આવ્યું નથી. પોલીસ તપાસ ચાલુ છે હવે આવનાર દિવસોમાં આપઘાત પાછળનું સત્ય બહાર આવશે

