અંકલેશ્વર: અંકલેશ્વરના નેશનલ હાઇવે પર સહયોગ અને વર્ષા હોટલ પાસે આવેલાં યુ ટર્નના કારણે અકસ્માત તથા ટ્રાફિક જામની સમસ્યા થઈ  હતી. બે દિવસ પહેલાં નેશનલ હાઇવે ઓથોરીટીએ બંને યુ ટર્ન બંધ કરી દેતાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોમાં માહોલ ગરમાયો હતો. સ્થાનિક વાહનોને 8 કિમીનો ફેરાવો થતાં યુટર્ન બંધ કરવા સામે વિરોધ થતાં મંગળવારે ધારાસભ્ય અને જિલ્લા ટ્રાફિક પીઆઇ અને એનએચએઆઇના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી.

Decision News  ને મળેલી મળેલી જાણકારી મુજબ વાહનચાલકોની સમસ્યા દૂર કરવા સહયોગ હોટલ પાસેનો યુ ટર્ન પાંચ દિવસ માટે ખોલવામાં આવશે જયારે વર્ષા હોટલવાળો ટર્ન કાયમી માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જીતાલી પાસે નાળુ બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. વર્ષા હોટલ યુ ટર્ન અને સહયોગ હોટલ યુ ટર્ન બંધ કરવા માટે રોડ વચ્ચે રોડ મટીરીયલ નાખી બંધ કરી દેવામાં આવ્યો હતો.

મંગળવારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ટ્રાફિક પીઆઈ. ભાવના મહેરિયા, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ સારંગપુર ગામના ગ્રામજનો સાથે સ્થળ પર ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં ચર્ચા બાદ અકસ્માતના બ્લેક સ્પોટ એવા વર્ષા હોટલ યુ ટર્ન ને કાયમી માટે બંધ કરવાનું નક્કી કરી આગામી બે દિવસમાં પાકું ડિવાઈડર ઉભું કરી દેવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. સહયોગ હોટલ પાસેનો યુ ટર્ન આગામી 5 દિવસ માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાદ એને પણ કાયમી માટે બંધ કરવામાં આવશે.માંડવા થી અંદાડા વચ્ચે ચાલી રહેલા સર્વિસ રોડની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે. મોતાલી અને સારંગપુર ગ્રામજનોની અગવડતા દૂર કરવા સહયોગ હોટલ પાસેના યુ ટર્ન પર બોક્સ ગરનાળું બનાવવા માટે પણ વિચાર મુકવામાં આવ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here