કપરાડા: આદિવાસી સમાજના વીર ક્રાંતિકારી અને સમાજના ઉત્થાનમાં પોતાના જીવનનું બલિદાન આપનારા બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિ નિમિત્તે પારંપારીક આદિવાસી સંસ્કૃતિના ઉજાગર માટે બિરસા મુંડા ગ્રાઉન્ડમાં નાનાપોંઢા ખાતે ભવ્ય ઉજવણીની તૈયારીમાં સ્થાનિક યુવાનો લાગી છે.

સમગ્ર આદિવાસી સમાજ કપરાડા દ્વારા બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિ નિમિત્તે પારંપારીક આદિવાસી સંસ્કૃતિના ઉજાગર માટે બિરસા મુંડા ગ્રાઉન્ડમાં નાનાપોંઢા ખાતે 15 નવેમ્બરે 2024 ના દિને સાંજે 7:00 વાગ્યે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવનાર છે તેની તૈયારી પણ જોરશોરમાં ચાલી રહી છે અને આદિવાસી સમાજના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

કપરાડાના તાલુકાના ધોડિયા સમાજના પ્રમુખ કુંતેશ પટેલ Decision News સાથે વાત કરતા જણાવે છે કે જનનાયક બિરસા મુંડાના અમે વંશજો છીએ અને અમે અમારા આઈડલ એવા બિરસા મુંડાનો જન્મોત્સવ ખુબ જ દિલથી માંથી અને ઉત્સાહથી ઉજવાના છે. અમારા આદિવાસી યુવાનો આ જન્મોત્સવને લઈને ખુજ ઉત્સાહિત છે.

સમગ્ર આદિવાસી સમાજ કપરાડાનાં આગેવાનો કપરાડા ધારાસભ્ય જીતું ચૌધરી, ડો દિનેશ ખાંડવી, બિસ્તું ચૌધરી, ચુનીલાલ ચૌધરી, ગમન ગાંવિત, હરેશ પટેલ, નાનાપોંઢા સરપંચ મુકેશ પટેલ, મુસ્લિમ અગ્રણી નાસીર પઠાણ, ગણેશ પાડવી, રાજેશ રાઉત, રમેશ ગાંવિત, અરવિંદ ગવળી, અશોક ખાડવી જેવા લોકો જાહેર આમત્રણ પાઠવી રહ્યા છે.