ગુજરાત: ગુજરાતમાં મોરબી ઝુલતો પુલ તુટી પડવાની દુર્ઘટના, વડોદરાના હરણીમાં બોટ ઉથલી પડવાની ઘટના અને રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં નિદોર્ષ લોકોના મોત થવાને કારણે ભૂપેન્દ્ર પટેલની સરકારે લાલ આંખ કરી છે.

આવા ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ શરૂ કરવામાં આવ્યું છે અને સરકારે આવા લાંચિયા અધિકારીઓની યાદી મંગાવી છે.અત્યાર સુધીમાં સરકાર પાસે 108 ભ્રષ્ટ્ર અધિકારીઓની યાદી આવી ગઇ છે, તેમાંથી 11 અધિકારીઓને તાત્કાલિક ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે.

ભૂપેન્દ્ર પટેલની સરકારે નક્કી કર્યું છે કે, હવે લાંચિયા અધિકારીઓ સામે કોઈ નોટીસ નહી, કોઈ ખાતાકીય તપાસ નહી, કોઈ સસ્પેન્શન નહી, સીધા જ તેમને ઘર ભેગા કરી દેવામાં આવશે.ગુજરાત ઓન રેકોર્ડ 8378 ભ્રષ્ટ્ર અધિકારીઓ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here