વાંસદા: ગતરોજ વાંસદાના વાંદરવેલા નજીક ઝાડ સાથે કાર અથડાતાં ગંભીર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હોઅવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ જીવલેણ અકસ્માતમાં કાર ચાલક ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થઇ ગયું હતું .

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના વાંદરવેલા ગામ નજીક મોડી રાત્રે સારવણી ગામનો રહેવાસી કાર ચાલક અમિત જીવણભાઈ પટેલે કાર પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ અને ગંભીર અકસ્માતની ઘટના બની હતી. તેઓ વાંસદા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કારની ઝાડ સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ થઈ ગયું હતું. સ્થાનિકો દ્વારા ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખેસેડ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો.

ઓવર સ્પીડિંગ તેમજ ટ્રાફિક અવરનેસ ન હોવાના કારણે જિલ્લામાં અકસ્માતની સંખ્યાઓમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને યુવાનો ભોગ બની રહ્યા છે. નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર પણ મોટી સંખ્યામાં અકસ્માતોની સંખ્યા વધી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here