નાંદોદ: થોડા દિવસ પહેલાં નાંદોદના ખાખરીપરા ગામના ગુમ થયેલાં યુવાનની લાશ બીજા દિવસે ગામના એક કૂવામાંથી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં લોક માંગને લઈને પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ 23 વર્ષીય ભાવીન હીમ્મતભાઇ વસાવા ચારેક દિવસ પહેલાં ગુમ થઇ ગયા હતા. 15 સપ્ટેમ્બરનાં રોજ સવારના સાડા પાંચેક વાગ્યાની આસપાસ કોઇને પણ કંઇ કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયો હતો. તેની શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે ગતરોજ તેની લાશ ખાખરીપરા ગામના નિરંજન ભંગુભાઇ વસાવાના કૂવામાં જોવા મળી હતી.

આ ઘટનાની ફરિયાદ મૃતક યુવાન ભાવીનના નાંદોદના ટીંબી ગામના નરેશ મીઠીયાભાઇ વસાવા (મામા) દ્વારા નોંધવામાં આવી છે. અગમ્ય કારણસર કુવામાં કૂદીને આત્મહત્યા કરી કે તેની કોઈ એ હત્યા કરી તેની તપાસ હાલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here