ગણદેવી: ભરતનાટ્યમ્ નૃત્ય નો દિક્ષાંત સમારોહ (આરંગેત્રમ્) બીલીમોરા ખાતે યોજાયો. જેમાં વાંસદાની વિધાર્થીનીઓ રીધ્ધી કલ્પેશ પટેલ, યસ્વી સ્નેહલકુમાર પરમાર,ધન્વી હરદીપસિહ દેસાઈ, ચાર્મી જયેશકુમાર પરમાર, રિયા મનોજકુમાર ભાવસાર અને ધૃવિકા કમલેશભાઈ કેવટ ભાગ લીધો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ કલાગુરુ અર્પણ મેહુલ પુરોહિતના માર્ગદર્શન હેઠળ આરાધના ડાન્સ એકેડેમી વાંસદાની વિધાર્થીનીઓ રીધ્ધી કલ્પેશ પટેલ, યસ્વી સ્નેહલકુમાર પરમાર,ધન્વી હરદીપસિહ દેસાઈ, ચાર્મી જયેશકુમાર પરમાર, રિયા મનોજકુમાર ભાવસાર અને ધૃવિકા કમલેશભાઈ કેવટનો વર્ષોની કઠિન નૃત્ય સાધના પછી ભરતનાટ્યમ્ નૃત્યનો દિક્ષાંત સમારોહ (આરંગેત્રમ્) બીલીમોરા ખાતે યોજાયો.

મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી પ્રીતિબેન શિવાકિરન સિંગારાજુ (કલાગુરુ અર્પણ એકેડમી ઓફ ભરતનાટ્યમ, પ્રોફેસર અને એચ.ઓ.ડી ઓફ પી.ટી.સાં કોલેજ ઓફ સાયન્સ, સુરત) અને શ્રી ક્ષિપ્રા એસ. આગ્રે (કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ નવસારી) એ હાજરી આપી હતી. શાસ્ત્રીય નૃત્યનો આ કાર્યક્રમ નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા.