ઉમરપાડા: તારીખ ૩ સપ્ટેમ્બર ના રોજ ઉંમરપાડા ના આમ આદમી પાર્ટીના કાર્યો કરો દ્વાર મામલતદાર ઓફિસ માં આવેદન પાત્ર આપવામાં આવ્યું .

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ગઈ કાલ ના રોજ ઉંમરપાડા તાલુકા ના આમ આદમી પાર્ટીના કાર્યો કરો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેના દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યો કરો તેમજ યુવા નેતા સ્નેહલ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગયાં વર્ષે જે પાક નું નુકસાન થયું થયું હતું તેની રકમ હજુ સુધી લોકો ને મળી નથી.તેમજ મુસાફરી માં સરકાર દ્રારા જે બસો મૂકવામાં આવતી હોય છે તે ઘણી બસો બંધ થઈ ગઈ છે તો જરૂરિયાત બસો પાછી સરકાર રાબેતા મુજબ ચાલુ કરે આવું જણાવ્યું હતું. તેમજ વિશેષ રીતે વિદ્યાર્થીઓ ના ભણતર પર ભાર મુકતા જણાવ્યું કે ઉંમરપાડા થી વાંકલ અભ્યાસ માટે જતા વિદ્યાર્થી માટે પણ એક નવી બસ ની વ્યવસ્થા કરવી તેમજ ઘણા લોકો અંકલેશ્વર પાનોલી જેવા શહેરો માં રોજગાર માટે જાય છે તો તેમના માટે પણ બસો ની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું . કાર્યો કરો એ જણાવ્યું કે અમદાવાદ વડોદરા જેવા શહેરો માં જવા માટે પણ બસો ની વ્યવસ્થા કરવી જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here