સેલવાસ: સંજાણના આદિવાસી પરિવારના યુવાન સ્વ. સંદિપભાઈ ધોડીની દાદરા નગર હવેલીના નરોલીમાં થયેલી કરપીણ હત્યાના સંદર્ભમાં આજરોજ માન સાસંદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા મૃતક સ્વ સંદિપભાઈ ધોડીના પિતાશ્રી સાથે વીડીયો કોલના માધ્યમથી સંપર્ક કરી પરિવાર ને સાંત્વના આપી હતી.

જુઓ વિડીયો…

આ દુ:ખદ ઘટના સંદર્ભમાં દાદરા નગર હવેલીના પોલિસ વડાશ્રી અમીત શર્માજી તથા દાદરા નગર હવેલીના સંસદ કલાબેન ડેલકરજી સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહી મૃતકને ન્યાય મળે અને આરોપીઓને કડક ના કડક સજા મળે એ માટે માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલ પીડીત પરિવારને ખાતરી અને વિશ્વાસ આપી રહ્યા છે કે આવનારા દિવસોમાં માન. ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબ તેમજ સંગઠનના આગેવાનો સાથે સંજાણ ખાતે એમના નિવાસે જઈ મૃતકના પરિવારની મુલાકાત પણ લઈ ઘટતું તમામ કરવાની અને પરિવારને ન્યાય અપાવવામાં આવશે.