ગુજરાત: વર્તમાન સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક રહસ્યમય વાયરસનો પ્રકોપ પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે 4 બાળકોના મોત થયા છે અને 2 અન્ય બાળકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ વાયરસને ચાંદીપુરા વાયરસ ગણાવ્યો છે.

ચાંદીપુરા વાયરસ શું છે?

DICISION NEWS ને મળેલ માહિતી મુજબ ચાંદીપુરા વાયરસ એ Rhabdoviridae પરિવારનો વાયરસ છે, જે મચ્છર, માખીઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો દ્વારા ફેલાય છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1965માં મહારાષ્ટ્રમાં થઈ હતી. તે દેશમાં એન્સેફાલીટીસ રોગના કેટલાક અલગ-અલગ પ્રકોપ સાથે જોડાયેલું છે. આ સિવાય વર્ષ 2003માં આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળી હતી, જેના કારણે 329 અસરગ્રસ્ત બાળકોમાંથી 183ના મોત થયા હતા.

આ વાયરસના લક્ષણો શું છે?

ગુજરાત આરોગ્ય વિભાગના નિષ્ણાંત ડો જણાવી રહ્યા છે કે ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા, સ્નાયુમાં દુખાવો અને નબળાઈનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં, આ વાયરસ મગજમાં સોજો (એન્સેફાલીટીસ) લાવી શકે છે, જે જીવલેણ બની શકે છે.