વલસાડ: વલસાડના મોગરાવાડી ખાતે સુકીતલાવડી પાસે રાજુભાઈની હોટલની પાછળ તા. ૨ જુલાઈ ૨૦૨૪ સાંજે ૫ વાગ્યા પહેલા હરકોઈ વખતે એક અજાણ્યો ૪૫ વર્ષીય મિથુનભાઈ (ભિક્ષુક) અગમ્ય કારણસર મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેના વાલી વારસો તેમજ સગા સંબંધી બાબતે તપાસ કરતા કોઈ મળી આવ્યુ ન હતું. લાશનું પીએમ કરાવ્યા બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતક દુબળા પાતળા બાંધાનો, શ્યામ વર્ણ અને પાંચ ફૂટ છ ઈંચ ઉંચાઈ ધરાવે છે. જેને જમણો હાથ કોણીથી કપાઈ ગયેલો છે. શરીર પરથી સફેદ કલરનો શર્ટ મેલો ઘેલો ફૂલ બાઈવાળો અને વાદળી કલરનો પેન્ટ મળી આવ્યો હતો. જે કોઈને પણ મૃતકના વાલી વારસોની ભાળ મળે તો વલસાડ સિટી પોલીસ મથકનો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.