વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અચ્છારી ભાગા, તળાવ ફળિયા ખાતે રહેતી ૧૭ વર્ષ ૬ માસ ઉંમરની સગીરા શાયનાબેન બાબુભાઈ હળપતિ તા.૦૨-૦૭-૨૪ના રોજ સવારે ૭-૦૦ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી કંપનીમાં નોકરી જાઉં છું એમ કહી કોઈ અગમ્ય કારણસર કશે જતા રહ્યા છે. ગુમ થનાર શાયના ઘઉંવર્ણ, મજબૂત બાંધો અને આશરે ૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેમણે વાદળી કલરનો સલવાર, કાળા કલરની લેગિંગ્સ અને દુપટ્ટો અને ચપ્પલ પહેરેલા હતા. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. જો કોઈને આ સગીરાની ભાળ મળે તો ભીલાડ ટાઉન પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ નં.-૦૨૬૩૨-૨૫૩૩૩૩અને ઈ-મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.