ઉમરપાડા: બે અગાઉ ઉમરપાડા તાલુકાના વડગામના જંગલ માંથી 12 વર્ષીય સગીરાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે ઉમરપાડા તાલુકામાં છેલ્લા એક વર્ષમાં જંગલ વિસ્તાર માંથી શંકાસ્પદ મૃતદેહ મળી આવવાની અવાર-નવાર ઘટના પ્રકાશમાં આવી રહી છે, ત્યારે આજે વધુ એક 12 વર્ષીય સગીરાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

વડગામના જંગલમાં ડી-કંમ્પોઝ હાલતમાં મૃતદેહ નજરે ચડતા સ્થાનિકોએ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી. જેને લઇને ઉમરપાડા પોલીસ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતક સગીરા ઉમરપાડાના વડ ગામની હોવાનું જાણવા મળ્યું છે. ચાર દિવસ અગાઉ સગીરા ગુમ થઈ ગઈ હતી. ગત 20 તારીખના રોજ સગીરા જંગલમાં ગાયો ચરાવવા ગઈ હતી તે દરમિયાન રહસ્મય રીતે ગુમ થઇ ગઇ હતી. જેને લઇને પરિવારજનો શોધખોળ પણ હાથ ધરી હતી. ત્યારે ચાર દિવસ બાદ ડી-કંમ્પોઝ હાલતમાં મૃતદેહ મળતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે

આ સગીરાનું ક્યાં અને કયા કારણોસર મોત થયું એ અંગે કોઈ સ્પષ્ટ પુરાવા મળ્યા નથી પણ પંથકમાં લોકો હત્યા કરાયાની શંકા વ્યક્ત કરી રહ્યા છે, સાચું કારણ હજુ જાણવા મળ્યું નથી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ સગીરાના મોતનું સાચું કારણ જાણવા મળશે.