કપરાડા: એક દિવસ પહેલા લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા ત્રણ બાઈક સવારોની GJ-15-BA-687( એક નંબર દેખાતો નથી) નંબરની બાઈક કપરાડાના બંધ RTO પાસે  TN-39-CT- 4347 નંબરની ટ્રક સાથે અકસ્માત થયાની ઘટના સામે આવી હતી. જેમાં બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે એક યુવાનનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

Decision News ને સૂત્ર જશવંત ગાયકવાડ પરથી મળેલી માહિતી મુજબ લગભગ આ યુવાનો લગ્નમાંથી મોડી રાત્રે લગ્ન પ્રસંગમાંથી ઘરે આવી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રકમાં ગાડી ઘુસી જતાં આ અસ્કામત સર્જાયો હતો જેમાં બે યુવાનો સ્થાનિક કપરાડાના જ હતા જ્યારે એક કોઈ બીજા ગામનો હતો. આ અસ્કમાતમાં બે યુવાનોને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે કપરાડાના નિશાળ ફળીયા વિનાયક કોલેજ પાસેના સુરજભાઈ રામદાસભાઈ નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.

હાલમાં ટ્રકને પોલીસના કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. બંને યુવાનોને યોગ્ય સમયે સારવાર મળી જતા તેમની સ્થિતિ બહેતર હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે કપરાડા વિસ્તારમાં વધતા અકસ્માતોને રોકવા વહીવટીતંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે એવી માંગ લોકોની ઉઠી રહી છે.