વાંસદા: પવન સાથે આવેલા વરસાદ નવસારી જિલ્લાના તાલુકામાં વિવિધ તારાજી સર્જી ગયો હતો ત્યારે વાંસદાના મીંઢાબારી ગામમાં કુદરતી હોનારતનો ભોગ બનેલાં આદિવાસી લોકો સાથે ધારાસભ્ય અનંત પટેલે મુલાકાત કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ભારે પવન સાથે વાંસદા તાલુકાના કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો તેમાં વાંસદા તાલુકાના મીંઢાબારી ગામમાં 15 જેટલા કાચા મકાનોની છતના પતરા પવનમાં ઉડી ગયા હતા. કુદરતી હોનારતનો ભોગ બનેલાં પરિવારના લોકોની ધારાસભ્ય અનંત પટેલે મુલાકાત કરી તેમના મુશ્કેલી સમયે સાથ આપવા અને બનતી મદદ કરવાની વાત કરી હતી.

અનંત પટેલ જણાવે છે કે વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં અમારા ઘરની છત ઉડી ગઈ હતી, ઘરોમાં પશુઓ, અનાજને નુકસાન થયું હોવાનું લોકો જણાવી રહ્યા છે. અમે અમારાથી થાય એટલી મદદ કરવાનું વિચારી રહ્યા છે. બાકી પંચાયત ધોરણે જે પરિવારને લાભ મળવા પાત્ર છે તે વિષે અમે ચોક્કસ ધ્યાન રાખીશું