ધરમપુર: ગતરોજ જ્યારે ભારે પવન ફૂકાવવાની સાથે વરસાદ આવ્યા હતા તેમાં વલસાડ જિલ્લામાં આંબાની વાડી ધરાવતા ખેડૂતોને ભારે નુકશાન થયાના સમાચારો વહેતાં થયા છે ત્યારે ધરમપુરના તાલુકાના ખડકી ગામમાં કાશુભાઈ દેવજીભાઈને નુકશાન થયું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં આંબાની વાડી ધરાવતા ખેડૂતોને ભારે નુકશાન થયાના સમાચારો વહેતાં થયા છે ત્યારે ધરમપુરના તાલુકાના ખડકી ગામમાં આદિવાસી ખેડૂત કાશુભાઈ દેવજીભાઈની આંબાની વાડીમાં હજારો રૂપિયાની કેરી ભોંય ભેગી થઇ જતા ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

ગતરોજ બપોરે લગભગ 3:00 વાગ્યાની આસપાસ ભારે વાવાઝોડાના કારણે મોટાભાગના આદિવાસી ખેડૂતોની આંબા વાડીઓમાં કેરીઓ ખંખેરાઈ પડી હતી ધરમપુરના કાશુભાઈ દેવજીભાઈ માહલાની આંબા વાડીના આ દ્રશ્યો છે. આ કુદરતી પ્રકોપ સામે વહીવટીતંત્ર રાહતનો હાથ આપે એવી ખેડૂતો આશ સેવી બેઠા છે.