કપરાડા: કપરાડા વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નાનાપોંઢા દ્વારા સંચાલિત બાલચોંડી સ્થિત ચાલતી અંબેમાતા કન્યા વિદ્યાયલ નું માર્ચ ૨૦૨૩-૨૪ માં ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી એસ.એસ.સી પરીક્ષા નું પરિણામ ગત રોજ જાહેર કરવા માં આવ્યું હતું .જેમાં કપરાડા તાલુકા માં એક માત્ર ચાલતી બાલચોંડી ખાતે ચાલતી અંબેમાતા કન્યા વિદ્યાલય નું ધોરણ ૧૦ નું ૧૦૦ ટકા પરિણામ આવતા વિદ્યાર્થીનીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
DECISION NEWS ને પ્રાપ્ત વિગત મુજબ કપરાડા તાલુકા ની એક માત્ર કન્યા વિદ્યાલય છે.જ્યાં પ્રતિ વર્ષ ધોરણ ૧૦ અને ૧૨ નું શ્રેષ્ઠ પરિણામ આવે છે.હાલે તાજેતર માં ધો.૧૨ અને ૧૦ નું પરિણામ જાહેર થયું હતું.જેમાં આ શાળા માં ધો.૧૨ અને ૧૦ નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હોવાનું જાણવા મળે છે.ગઈકાલ ના રોજ ધોરણ ૧૦ નું પરિણામ માં ફરી અંબામાતા કન્યા વિદ્યાલય નો દબદબો રહ્યો હતો.અને શાળા નું ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરી કપરાડા તાલુકા માં શ્રેષ્ઠ શાળા હોવાનું પુરવાર કરી આપ્યું છે.ધોરણ ૧૦ માં કુલ ૫૪ વિદ્યાર્થીનીઓ એ પરીક્ષા આપી હતી જેમાંથી બધી જ વિદ્યાર્થીનીઓ પાસ થતાં શાળા નું ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત થયું હતું. જેમાં સુહાનીકુમારી મલેશભાઇ પટેલ ૮૬.૩૩ ટકા મેળવી શાળા માં પ્રથમ, જયમીનીબેન હરેશભાઈ બારીયા ૮૧.૩૩ ટકા મેળવી બીજો ક્રમ અને રીંકલ બેન વિકેશભાઇ પટેલ ૮૦.૫૦ ટકા ત્રીજા ક્રમ મેળવ્યો હતો.
આ ઉપરાંત શાળા નું પરિણામ માં એ૧ ગ્રેડ – ૪,બી૧ ગ્રેડ – ૧૩,બી૨ ગ્રેડ – ૧૯,સી૧ ગ્રેડ ૫ અને સી૨ ગ્રેડ – ૫ વિદ્યાર્થીનીઓ પાસ થતાં વાલીઓ અને વિદ્યાર્થીનીઓ માં ખુશી જોવા મળી હતી.શાળા નું શ્રેષ્ઠ પરિણામ આવતા શાળા સંચાલકના પ્રમુખ અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચોધરી ,શાળા સંચાલક ના મંત્રી ગુલાબભાઈ પટેલ, શાળાના આચાર્ય નવીનભાઈ ખાંડરા,શિક્ષક સ્ટાફ સોનલબેન પરમાર,મોહનભાઈ ખાંડરા,પ્રકાશભાઈ થોરાત,સોનલબેન પટેલ,નીલમબેન પટેલ ,રીનાબેન ભોયા, અક્ષયકુમાર ચોધરી , ધર્મીનભાઈ પટેલ, પ્રિયંકાબેન ચોધરી દ્વારા વિદ્યાર્થીનીઓ ને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

