નર્મદા: જપીપળા કાળિયા ભૂત મંદિર નજીક માંડવો બાંધી રોડ ની બાજુમાં તરબૂચ વેચતા દેવીપૂજક પરિવાર ના દંપતી રાત્રે મંડપ પાસે સુતા હતા અને આજે વહેલી સવારે કોઈ અજાણી ગાડી ના ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંને ના મોત થયા હોવાની માહિતિ પ્રાપ્ત થઈ છે

જુઓ વિડીઓ…

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ રાજપીપળા ટેકરા ફળિયા, પ્રાથમિક શાળા નજીક રહેતા નગીનભાઇ કાલિદાસ દેવીપૂજક અને તેમના પત્ની જશીબેન નગીનભાઇ દેવીપૂજક હાલ ઉનારા ની ગરમી માં રોજી રોટી માટે રાજપીપળા કારયા ભૂત મંદિર આગળ આખો દિવસ તરબૂચ વેચતા હોય અને રાત્રી ના જમી પરવારી ત્યાં તરબૂચ વેચવા બાંધેલા મંડપ પાસે સૂઈ ગયા હતા ત્યારે બાદ આજે વહેલી સવારે કે મોડી રાત્રે કોઈક ફોર વ્હીલ ગાડી ના ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંને નું ઘટના સ્થળે મોત નિપજતાં તેમના પરિવારજનો ત્યાં કલપાંત કરતા નજરે પડ્યા હતા,એક સાથે માતા પિતા ની છત્રછાયા ગુમાવી દેતા પરિવાર માં માતમ છવાયું હતું. ત્યારે આ ઘટન બની ત્યાજ બાજુમાં આદર્શ નિવાસી શાળા આવેલી છે અને તરબૂચ ના મંડપ પાસે જ અન્ય ખાણી પીણી ની બીજી લારીઓ પણ આવેલી હોય ત્યાં દિવસે બહુ ભીડ રહે છે માટે ક્યારેક ધોળા દિવસે પણ આવી ઘટના બની શકે છે.

ઘટના ની જાણ થતા જ રાજપીપળા પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માત કરી ભાગી ગયેલા ગાડી ચાલક ની તપાસ હાથ ધરી છે.