વલસાડ: લોકસભાની ચુંટણી ખત્મ થયાના માંડ થોડા દિવસ જ વીત્યા છે ત્યાં ગતરોજ સામ પિત્રોડાના નિવેદન સામે રંગભેદનો આક્ષેપ કરી વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સ્નેહિલ દેસાઈ અને તેમના કાર્યકરો દ્વારા પિત્રોડા પૂતળાંનું દહન કરવામાં આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
હાલમાં સામ પિત્રોડા વિરુદ્ધ સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ જિલ્લામાં સામ પિત્રોડાના વિરોધમાં રોષ ઠાલવવામાં આવી રહ્યાનું સમાચારો સામે આવ્યા છે ત્યાર ગતરોજ વલસાડ જિલ્લા યુવા ભાજપના નેજાં હેઠળ આઝાદ ચોક ઉપર વિરોધ પ્રદર્શન કરી સામ પિત્રોડાના વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી પિત્રોડાના પૂતળાંનું દહન કરી વિરોધ રજૂ કર્યો હતો.
ઘાસનું પૂતળું બનાવી કાર્યકરોએ તેને સળગાવ્યું હતું. ભાજપના કાર્યકરોએ સામ પિત્રોડા અને સોનિયા ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચારો બોલાવ્યા હતા અને પિત્રોડા પોતાના નિવેદન માટે માફીને યોગ્ય નહિ કહી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

