ધરમપુર: શાળા પ્રવેશથી જ છાત્રોને શિક્ષણ માટે પ્રોત્સાહીત કરવાની જરૂર છે. આ માટે જનભાગીદારી પણ આવશ્યક છે. શાળા માત્ર સરકાર કે સ્થાનિક સતા તંત્રોની જ જવાબદારી નથી સમાજનું પણ દાયિત્વ છે. બાળકોની લેખન વાંચન અને ગણનની ક્ષમતા વધે તે માટે શિક્ષકોએ તેમની પાસે વિવિધ પ્રકારતા પ્રવૃતિ-પ્રોજેકટ કરવવા જોઇએ. વિદ્યાર્થીના સર્ંવાગી વિકાસ માટે શિક્ષણ સાથે ઇતર પ્રવૃતિનું વિશેષ મહત્વ છે. સંગીત ચિત્ર અને સ્પોટ્સ જેવી વિવિધ પ્રવૃતિ વિદ્યાથીઓના વિવિધ કૌશલ્યો ખીલવે છે. પુસ્તકિયા જ્ઞાન સાથે સહઅભ્યાસિક ઇતર પ્રવૃતિ જ તેનું શ્રેષ્ઠ ઘડતર કરે છે.
શાળા પ્રથમવાર પગથીયા ચડતા ધો.1 ના બાળકનું પ્રારંભતી જ રસ, રૂચિ, વલણો આધારિત શિક્ષણ મળે તો તેને શાળાએ આવવું ગમશે. બેસવું ગમશે ને રમવું ગમશે. આ પ્રારંભિક કાળમાં શિક્ષણની સજતાની કસોટીનો કાળ છે અપવ્યય અને સ્થગિતતાના ઘણા કારણો આ સમસ્યા જોવા મળી છે કે છાત્રને રસરૂચિ પ્રમાણે વાતાવરણ ન મળવાથી તે શાળાએ આવતું નથી. ધો.૧થી ૫માં આ સમસ્યા વિશેષ જોવા મળે છે.

ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 આ બે તબકકા પ્રારંભના છે. જેમાં ધો.1 થી 5 ના છાત્રોની વિશેષ કાળજી લેવાની જરૂર છે. પ્રવૃતિમય શિક્ષણથી જ તેનો પાયો પાકકો થશે. ગણિત, ગુજરાતી અને પર્યાવરણના વિષયો સાથે એકટીવીટી બેઝ લર્નીગ ખૂબ જ અસરકતા હોય છે. પ્રવૃતિ દ્વારા જ્ઞાન અર્થાત પ્રજ્ઞા પ્રોજેકટ ધો.1-2 અને 3-4 માં આવે છે. જેમાં વિવિધ પ્રવૃતિને સાંકળીને ઘણી પ્રવૃતિ થાય છે. પણ આમાં થોડા ફેરફારની જરૂર જણાય છે. મનોવિજ્ઞાન કહે છે કે બાળક એક વિષય વસ્તુ ઉપર લાંબો સમય ધ્યાન કેન્દ્રીય કરી શકતો નથી તેથી તેને અલગ અલગ રસ પડે તેવી પ્રવૃતિને જોડીને મૂળ શિક્ષણ સાથે જોડવો જરૂરી છે. શિક્ષકે પણ દરેક બાળક પ્રવૃતિમાં જોડાય તે જોવાની ફરજ છે.
કોઇપણ એકમ આજે પ્રવૃતિ સાથે શિખડાવી શકાય તેવું વાતાવરણ સાધનોમાં દૃશ્ય શ્રાવ્ય સાધનો ઉપલબ્ધ છે ત્યારે શિક્ષકે મહત્વની ભૂમિકા અદા કરીને સહઅભ્યાસિક પ્રવૃતિમાં છાત્રોને જોડીને ધાર્યાપરિણામો લાવવા કટિબધ્ધ થવું પડશે. નાના બાળકોને વાર્તા ખુજબ ગમતી હોય જીવન મૂલ્ય શિક્ષણ આપવા માટે તમે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો છો. વાર્તા પદ્ધતિ શિક્ષણી શ્રેષ્ઠ પદ્ધતિ પૂરવાર થઇ છે. છતાં આજે બહું જુજ શાળાઓ આમેથડ અપનાવે છે.
છાત્રોના માનસપટ પર હજારો કલ્પનાઓ પડી હોય છે. જેને શિક્ષક ચિત્ર માધ્યમથી સારી રીતે ઉજાગર કરી શકે છે. ક્રિએશન બાળથી મોટેરાને ગમે છે, આનંદ મળે છે. બાળકે જાતે બનાવેલ ચિત્રો થકી તેને રસરૂચી, એકાગ્રતા, વિચારો, કલ્પના, વિવિધરંગો જેવો અનેક બાબતો વણાઇ જાય છે. ચિત્ર વાર્તા કે ખાલી ચિત્ર ઉપરથી બાળકને વિચારવાનું કહો ને બાદમાં તેના પ્રશ્ર્નો પૂછવાથી તેનામાં મૌખિક અભિવ્યકિત સાથે કલ્પના શક્તિ ખીલે છે. વર્ષો પહેલા વાર્ષિક પરીક્ષા વખતે પૂંઠામાંથી ઘર બનાવીને આપણે લઇ જતા ત્યારે ઉદ્યોગ વિષય જેવું નામ હતું. પ્રગતિપત્રકમાં સમુહજીવન ચિત્ર, સંગીત, ઉદ્યોગ જેવા વિષયોને પણ સ્થાન હતું, તેનામાર્ક મુકવામાં આવતા.
ઘણા બાળકો સારૂગાય, સારૂ વગાડે તો તેને પ્રોત્સાહિત કરવા જરૂરી છે તેને નિષ્ણાંતોની સહાયથી વિકમાં એકવાર માર્ગદર્શન આપીને તેને આ દિશામાં પ્રવિણ કરી શકાય. ચિત્ર સારૂ કરે તો તેના સારા અક્ષરો પણ હોય તે જોવા મળ્યું છે. કારણ કે વિવિધ વણાંકોને કારણે આ સંભવ બને છે. શાળાના તમારા વર્ગના ટેલેન્ટેડ બાળકોને વિવિધ સ્પર્ધામાં ભાગ લેવડાવીને તેને આગળ વિકાસ કરવામાં ઇત્તરપ્રવૃતિ સૌથી બેસ્ટ સાબિત થાય છે. બાળકોને નાટક કરવું બહુ ગમે છે. તેથી તેતે વિષયવસ્તુ વિષયો પણ એજયુકેશન થ્રુ ડ્રામામાં શીખવી શકો છો. શાળા છુટવાના સમય પહેલા અડધો કે એક કલાક જો આવી રસપ્રચુર પ્રવૃતિ વર્ગખંડમાં કે ગ્રાઉન્ડમાં થાય કે કરાય તો બાળકોનો સર્ંવાગી વિકાસ ઝડપી બને છે. ક્રિકેટ રમતથી બાળકોમાં લીડરશીપ, એકાગ્રતા, જેવા ઘણા ગુણો ખીલવી શકાય છે.
આજે સૌથી મોટી નબળાઇ શિક્ષણનીએ છે કે આપણે આ બધુ ભૂલાઇ ગયું છે. માત્રને માત્ર વિષયો આધારીત ભગાવીને કોર્ષ પુરો કરીને તેનું જ મુલ્યાંકન થાય છે. ખરેખરતો બાળકોમાં રહેલી વિવિધ કલાઓને કયારેય પ્રોત્સાહન અપાતું નથી. નવી શિક્ષણનિતિમાં કૌશલ્યબેઝ શિક્ષણ આવવાનું છે જે એક સારી બાબત છે…











