ચીખલી: આપણા ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ બહુ ઓછો સાંભળવા મળતો હોય છે ત્યારે ગતરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જુદા જુદા પ્રકૃતિપ્રેમી વિવિધ રીતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા પણ કાલે એક એવું દ્રશ્ય સામે આવ્યું જે માનવતાની મહેક પ્રસરાવી રહ્યું હોવાનો અહેસાસ આપી ગયું.

મારે ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જવાનું થયું.. ત્યાં પોતાની ફરજ બજાવતાં ડો. સી. સી. પટેલ મહેન્દ્રભાઈ સંદીપભાઈ, પીયુશભાઇ, તેજસભાઈ વગેરે દ્વારા ઉનાળામાં પાણી ન મળવાના કારણે મૃત્યુ પામેલી મળી આવેલી એક મસ્ત રંગબેરંગી ચકલીની દફન વિધિ થઇ રહી હતી જે એક કરુણતા ભર્યું કે માનવતાની સુંગધ ફેલાવતું દ્રશ્ય છે તે હું નક્કી ન કરી શક્યો.. પણ પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ જોઈ આ યુવાનો સલામ દિલથી નીકળી ગઈ.

આ સમગ્ર મુદ્દે વાત ફરજમંદ ડો. સી. સી. પટેલે જણાવ્યું કે મને એમ લાગે છે કે ભયંકર ગરમીમાં આ સુંદર ચકલીને પાણી ન મળવાના કારણે બેહોશ અવસ્થામાં અમને મળી.. અમે ખુબ પ્રયાસ કર્યો કે એ સજીવન થાય પણ એમનું મૃત્યુ થઇ ચૂકયું હતું.. અમે વિચાર્યું કે આજે વિશ્વ ચકલી દિવસ છે અને આજે અમારી નજરો સમક્ષ આ દ્રશ્ય સર્જાયું છે એ ખુબ જ દુઃખદ છે. દુઃખ ની લાગણી સાથે અમે ચકલીની દફન વિધિ કરી એને શ્રદ્ધાંજલિ આપી છે. આપણે સૌએ પ્રકૃતિએ આપેલા પશુ પંખીઓનું સન્માન કરવાની જરૂર છે અને આ ઉનાળાની સિઝનમાં તેઓ માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવાની ફરજ નિભાવવી જોઈએ.