વ્યારા: વાલોડના કુંભિયા વિસ્તારના RTI એક્ટિવિસ્ટ આદિવાસી યુવાન સુધીર ચૌધરીની ગળું દબાવી હત્યા કરી કોસંબીયા ગામથી સ્મશાન તરફ જતા કાચા રોડની સાઈટમાં આવેલા ઝાંડી ઝાંખરામાં ફેકી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાલોડ તાલુકાના કુંભિયા વિસ્તારમાં રહી સમાજમાં વ્યાપેલ ભ્રષ્ટચાર બાબતે આદિવાસી પ્રજાજનોને થતા અન્યાય સામે ભ્રષ્ટચારીઓની પોલ ખોલવા હેતુ સરકારના વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરી વિકાસના કામો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો સામે અવાજ ઉઠાવતા આદિવાસી યુવાન સુધીર નટુ ચૌધરીને વાલોડ કુંભિયા ખાતે હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી છે.

સુધીરના નજીકના લોકો એવું કહે છે કે વિકાસના કામો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો સામે અવાજ ઉઠાવી તેઓ ન્યાયની માંગણી કરતા હતા તેથી ભ્રષ્ટચારીઓ માટે માથાનો દુઃખાવો બની ગયા હતા. જેને લીઅને આ હીન કાર્યને અંજામ આપવામાં આવ્યું છે. હાલમાં વાલોડ-ડોલવણ પંથકમાં હત્યાના કેસોનું પ્રમાણ દિવસે ને દિવસે વધુ જઈ રહ્યું છે પણ પોલીસ બેંડામાં કોઈ હલચલ દેખાતી નથી.. બોલો..!

સોમવારે સવારે કોસંબીયા ગામની સીમમાં આવેલ કોસંબીયા ગામથી સ્મશાન તરફ જતા કાચા રોડની બાજુમાં આવેલ વજીરભાઈ ચૌધરીની પડતર જમીનમાં ઝાડી ઝાંખરામાં સુધીરનો મૃતદેહ મળ્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ ગળુ દબાવી હત્યા કરી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.