વલસાડ: ભાજપ દ્વારા જે વલસાડ લોકસભાના ઉમેદવાર તરીકે પ્રથમ ત્રણ મહેન્દ્ર ચૌધરી, ગણેશ બીરારી, ઉષાબેન પટેલ વગેરે નામ ચર્ચાય રહ્યા છે તે આજ સુધી આદિવાસી સમાજના જે સળગતાં સવાલો છે જળ, જંગલ, જમીન, રોજગારી, શિક્ષણ કે આરોગ્યની આદિવાસી વિસ્તારોમાં ખરાબ સ્થિતિ, ખોટા જાતિના પ્રમાણપત્ર વિષે એક પણ વખત પોતાનું મોં ખોલ્યું નથી.. બોલો.. એવી લોકચર્ચા ઉઠી રહી છે.

આપણે જાણીએ છીએ કે હવે થોડા દિવસોમાં વલસાડ લોકસભાની ચુંટણી થવાની છે ત્યારે ભાજપ દ્વારા જે પ્રથમ હરોળમાં જે ઉમેદવારોના નામ લેવાઈ રહ્યા છે તેઓ વિષે લોકચર્ચા છે કે આ ત્રણેય ઉમેદવાર એક પણ વખત જાહેર સભાઓમાં કે મીડિયા સામે આદિવાસી સમાજના સળગતા સવાલો છે જેમ કે જળ જંગલ જમીન, રોજગારી શિક્ષણ, આરોગ્ય ખોટા જાતિના પ્રમાણ પત્ર, આદિવાસી વિસ્તારોમાં અમલીકરણ થતા વિનાશક પ્રોજેક્ટો વિષે બોલ્યા નથી અને માત્ર તમાશો જોયો છે. આ કડવું છે પણ વાસ્તવિકતા છે.

Decision News દ્વારા વાંસદા, ધરમપુર અને કપરાડા જેવા તાલુકાના બોર્ડરના ગામડાઓમાં આ ઉમેદવારોનું સમર્થન જાણવા સર્વે માટે ગયું ત્યારે લોકો કહી રહ્યા હતા કે જે આપણા જળ જંગલ જમીનના મુદ્દાઓ હોય કે રોજગારી, શિક્ષણ અને આરોગ્યની કથળેલી સ્થિતિ, અને વર્ષોથી રહેતા આદિવાસી કુટુંબોને જે નવા નવા પ્રોજેક્ટોમાં વિસ્થાપન કરવામાં આવી રહ્યા છે. અને જાતિના દાખલાઓને લઈને જે મુશ્કેલીઓ પડી રહી છે. આવા જે સળગતા પ્રશ્નો છે તેના વિષે ભાજપ દ્વારા જે વલસાડ લોકસભાના ઉમેદવાર તરીકે પ્રથમ સ્તરે જે નેતાના નામો ચર્ચાય રહ્યા છે તેમાનો એક પણ નેતા આ સવાલો વિષે બોલવા સુધ્ધા તૈયાર નથી તો શું ભાજપ પાસે બીજા આદિવાસી સમાજનો અવાજ બની શકે લોકોના સુખ દુઃખમાં સાથે આવી મદદનો હાથ આપી શકે, લોકોના પ્રશ્નો વિષે નીડરતા સાથે સરકાર સાથે વાટાઘાટ કે અવાજ ઉઠાવી શકે એવો એક પણ નેતા નથી. શું આદિવાસી સમાજ પર આ ઉમેદવારો ભાજપ થોપી બેસાડશે. વડીલો અને મહિલાઓનું કહેવું હતું કે હવે તો જે આપણા સમાજનો અવાજ ઉઠાવી શકે એવા જ ઉમેદવારને અમે પસંદ કરવાના છે. અત્યાર સુધી ન આદિવાસી સમાજના પ્રશ્નો માટે ન બોલેલા આ ઉમેદવારો ચુંટણી જીતીને પણ બોલશે એવો અમને ભરોષો નથી બાકી ભાજપ એ વિશ્વની મોટી પાર્ટી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજ માટે ઘણા સારા કામો પણ કર્યો છે જેનો અમે લાભ પણ લીધો છે.

( આ લોકોને પુછાયેલા પ્રશ્નોના ઉત્તરો છે Decision News આ ઉત્તરોનું સમર્થન કરતુ નથી.)