છોટાઉદેપુર: સમયસર આદિવાસી દર્દીઓને લોહીનું સગવડ પ્રાપ્ત બને એવા શુભ ઉદ્દેશ સાથે અર્શ ક્લિનિક અને સૂચીત સાથ ફાઉન્ડેશન દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગ થી આજે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર (સ) ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ સરહદી આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનેમિયાનું પ્રમાણ વધુ હોય તેમજ એએનસી બહેનો માટે તથા અવારનવાર થતી આકસ્મિક ઘટનાઓ વખતે તાત્કાલિક બ્લડની જરુરીયાત ઉભી થતી હોય છે તેવા સમયે છોટાઉદેપુર જિલ્લામાં બ્લડ બેંક નહીં હોવાના કારણે બોડેલી ખાતે આવેલ ઇન્દુ બ્લડ બેંકના બ્લડ સ્ટોરેજ કાં તો છેક વડોદરા સુધી બ્લડ બેંકમાં બ્લડ માટે દોડવું પડતું હોય છે અને જરુરીયાત બ્લડ મુજબનું સમયસર બ્લડ નહીં મળવાના કારણે ઘણા કેસમાં દર્દીના મરણ પામવાની ઘટનાઓ બનતી હોય છે જે બાબતોને ધ્યાનમાં રાખીને અર્શ ક્લિનિકના ડો. કનસિંગ રાઠવા તથા નર્મદા ક્લિનિક દેવહાટના ડો. વિજય રાઠવા તેમજ સૂચિત સાથ ફાઉન્ડેશનના ડો જયેશ રાઠવા અને સમીર રાઠવા દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી જિલ્લાના રંગપુર (સ) ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુરના ડો. જીતેન્દ્ર રાઠવા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંગભાઇ રાઠવા તથા ફૌજી જવાનો રતુભાઈ રાઠવા સમરાજભાઈ રાઠવા, લલીતભાઇ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુર (સ) ના મેડિકલ ઓફિસર ડો.જયેશ રાઠવા, રંગપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.આર ડામોર, વિનુભાઈ સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.