ખેરગામ: ગતરોજ ખેરગામ- ચીખલી તાલુકામાં આદિમ જૂથ સમાજના આવાસના મળવાપાત્ર લાભથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પણ આવાસનો લાભ આપવાની માગ આદિમજૂથ સમાજ સાથે ટીડીઓ ખેરગામ તાલુકામાં રજુઆત કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત સરકારની આવાસ યોજનાનો લાભ નહીં મળતા હાલમાં પણ ઝૂંપડામાં વસવાટ કરવા મજબૂર બન્યા છે.આ પરિવારો શૌચાલયના લાભથી પણ વંચિત છે. અહીં વસવાટ કરતા આદિમજૂથના લોકો ગરીબીની રેખા નીચે આવે છે. તેઓ ખેત મજૂરી તેમજ કડિયા કામ જેવી કાળી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓની પાસે ખેતીની જમીન કે ઘર બનાવાની પણ જમીન નથી. જેથી તેઓ સરકારી ગૌચર તેમજ ગામતળ જમીનમાં વસવાટ કરતા હોય છે. આ પ્રસંગે ખેરગામ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શશીન પટેલ ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ખેરગામ તા.પં.સભ્ય વિભાબેન પટેલ મમતાબેન પટેલ નીલમબેન પટેલ ખેરગામ સરપંશ્રી ઝરણાંબેન પટેલ માજી સરપંચ અશ્વિનભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિમાં આ રજુઆત કરી હતી.

કોંગ્રેસના નવસારી જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ પટેલે મીડિયા ને જણાવ્યું કે ખેરગામ તાલુકાના આદિમજૂથ પરિવારો આવાસ, શૌચાલયની પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે આ આદિમજૂથના પરિવારો પાસે એમની પાસે 7/12 માગવામાં આવે છે. પરંતુ આદિમજૂથના માણશો તેવો મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેવો પાસે કોઈ 7/12 નથી હોતી તેવો એ તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદિમ જૂથના પરિવારને કોઈ ગૌચરણની જગ્યા હોય તેને નીમ કરી એમને આવાસ ફાળવવામાં વિનંતી કરી હતી.