ઉનાઈ: વાંસદા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર ખાતે મકરસંક્રાંતિનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરાતા મેળામા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. તેમજ મંદિરે દર્શન અને ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી ભાવિ-ભક્તો ધન્યતા અનુભવે છે.
લોકનેતા અનંત પટેલ જણાવે છે કે દક્ષિણ ગુજરાતમાં ભરાતા સૌથી મોટા મેળા તરીકે જાણીતા આદિવાસી મેળામાં વાંસદા, ધરમપુર, ચીખલી, વલસાડ, સુરતથી લઇ મહારાષ્ટ્રથી પણ અનેક વેપારીઓ અહીં આવી પોતાની દુકાનો સ્ટોલો લગાવી સારી એવી રોજગારી મેળવી લેતા હોય છે. મેળામાં બાળકોથી લઈ યુવાનો અને વડીલો વિવિધ પ્રકારના રમત-ગમતના સાધનો અને એક્ટિવિટીની મજા માણી રહ્યાં છે.
આદિવાસી મેળા તરીકે પ્રખ્યાત મકરસંક્રાંતિના મેળામાં ઉમટેલી જનમેદની વચ્ચે કોઈ અણ બનાવ ન બને તે માટે વાંસદા પોલીસ દ્વારા ખડેપગ રહી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જનમેદની ખરીદવાની ફરવાની અને વેપારીઓએ વેચવાની મજા માણી હતી.

