પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ધરમપુર: આજની યુવા પેઢી નાની નાની અમથી વાતને લઈને આપઘાત કરી લેતી હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગતરોજ ધરમપુર તાલુકાના આસુરા પટેલ ફળીયામાં ધોરણ 10 અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અજાણ્યા કારણોસર ફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ ધરમપુર તાલુકાના આસુરા પટેલ ફળીયામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અજાણ્યા કારણોસર ફાંસો ખાઈને આપઘાત કરી લીધા. આ દીકરીએ અચાનક આપઘાતનું પગલું કેમ ભર્યું તેના વિષે કોઈ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી નાઇલોન દોરી પંખાને બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

દીકરીના આપઘાત પાછળ શું કારણ હતું એ પરિવારને પણ જાણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ઘટનાને લઈને પરિવાર પર આભ તૂટી પડયું હોય એવા હાલ થયા છે જ્યારે આસુરા પંથકમાં લોકોમાં તર્ક-વિતર્ક સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે.