સાગબારા: એક દિવસ પહેલાં સાગબારા તાલુકાના રાણીપુર ગામમાં સુતેલી પત્ની પર હુમલો કરી પતિએ મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. જેને લઈને હાલ સમગ્ર પંથકના લોકોમાં ચકચાર મચી ગઈ હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સાગબારાના રાણીપુર ગામમાં રાયસીંગ પોહલ્યાભાઈ પાડવી અને તેની પત્ની અરુણાબેન પાડવી રહેતા હતા તેમની બંને વચ્ચે અમુક અમુક દિવસે કોઈ ને કોઈ નાની નાની અમથી વાતમાં ઝઘડાઓ થતા રહેતા હતા ત્યારે એક દિવસ પહેલા રાત્રિ દરમિયાન જમીને અરુણાબેન સુઈ ગયા હતા ત્યારે રાયસીંગભાઈ દ્વારા હત્યાના ઈરાદે ઘરમાં પડેલા સળિયા વડે અરુણાબેન પર માથાના ભાગમાં હુમલો કર્યો હતો અને ગંભીર ઈજા થતાં અરુણાબેન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
આ ઘટના વિષે સાગબારા પોલીસને જાણ થતા જ પોલીસ દ્વારા ગુનેગાર રામસિંગ પોહલ્યાભાઈ પાડવી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા કરવા પાછળ શું કારણ હતું તેનું સત્ય હજુ સુધી બહાર આવ્યું નથી.

