ડેડીયાપાડા: આજે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાની રાજપીપળા જેલમાં સવારે 11: 00 વાગ્યે મળશે બંને મુખ્યમંત્રીઓને મિત્રના નાતે મળવાની પરમિશન આપવામાં આવી છે.

લોકચર્ચા એવી છે કે જેલમાં બે મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાત માટે મોટી રાજકીય ઘટના છે  નર્મદા જિલ્લામાં પ્રથમ ઘટના છે. હવે થોડા મહિના બાદ લોકસભા ચૂંટણીની ચુંટણી આવી રહી છે અને ગતરોજ લોકસભાના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલ દ્વારા ચૈતર વસાવાને જાહેરસભામાંથી જાહેર પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ બંને મુખ્યમંત્રીની મિટીગ ભરૂચના આદિવાસીમાં પરિણામમાં પરિવર્તનના પ્રાણ ફુકશે.

મુલાકાતીઓ સામાન્ય કેદીને મળી શકે એ જ રીતે જેલના નિયમો પ્રમાણે એમને મળવા દેવામાં આવશે. એ માટે બીજી કોઇ ખાસ ફેસિલિટી આપવામાં આવશે નહીં. હાલ જેલની બહાર સાફ સફાઇ કામગીરી શરૂ કરી દેવાઇ છે. આ બન્ને મુખ્યમંત્રીઓની મુલાકાત બાદ આવનારા દિવસોમાં ચૈતર વસાવાના સમર્થકોમાં કેવો ઉત્સાહ વધારે છે એ જોવું રહ્યું.