ડેડીયાપાડા: નર્મદાના ડેડીયાપાડા તાલુકાના વહીવટીતંત્ર અને ખેડૂતો વચ્ચેના વિવાદના કિસ્સાઓ અવારનવાર સામે આવતાં રહે છે ત્યારે ગતરોજ આદિવાસી ખેડૂતોને જાણ કર્યા વગર યોજનાનું કામ કહી ખેતીની જમીનમાં દાદાગીરી કરી ખોદકામ કરતા કોન્ટ્રાક્ટનો એક કિસ્સો સામે આવ્યો છે.

Decision News ને ખેડૂત પાસેથી મળેલી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં હાલ રેલવા ભરડા ગામે મોટી પાણીની પાઈપ લાઇનના ખોદકામ કરતી એજન્સી દ્વારા કોઈ પણ જાતની જાણ કર્યા વગર ખેડૂતોની ખેતી લાયક જમીનમાં પાક લેવાના સમયે JCB લઈને આવેલા એજન્સીના કર્મચારીઓ દાદાગીરી કરી ખોદકામની કામગીરી કરતાં કામને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની કહેવું છે કે કરોડો રૂપિયાની યોજનાઓ ડેડિયાપાડામાં ચાલુ છે. જેમાં ગ્રામસભાના ઠરાવ કે ખેડુતને આગાઉ થી કોઈ જાણ કે સૂચના આપવામાં આવતી નથી અને અચાનક જમીનમાં પાઈપ લાઇનનું ખોદકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

ડેડિયાપાડા તાલુકાના સરકારી તંત્ર દ્વરા પણ ખેડૂતોને કોઈ યોજના વિશે જાણ કરવામાં આવી નથી અને તેમની ખેડૂતોની જમીનમાં કરોડ રૂપિયાની યોજનાઓના પ્રોજેકટ શરુ કરી દીધા છે. આવા ગ્રામિણ સ્તરે ચાલતાં અજાણ્યા પ્રોજેક્ટો વિષે તપાસ થાય અને ખેડૂતોને અગાઉથી જાણ કરવામાં આવે અને ગ્રામસભાની મંજુરી વગર ખેડૂતોની જમીનમાં કોઈ ખોદકામ કરવામાં ન આવે એવી લોક માંગ ઉઠી છે.