વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજીના અધ્યક્ષ સ્થાને “શ્રી કમલમ” ખાતે જિલ્લા કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં આગામી લોકસભાની ચૂંટણી અન્વયે પ્રદેશ સંગઠન દ્વારા આવનાર સમયમાં યોજાનાર કાર્યક્રમો અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ અને પેજ કમિટી ના પ્રણેતા શ્રી સી.આર. પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ ગતરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કારોબારી બેઠક નું આયોજન “શ્રી કમલમ” ખાતે કરવામાં આવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણી અન્વયે પ્રદેશ સંગઠન દ્વારા આવનાર સમયમાં યોજાનાર કાર્યક્રમો અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પ્રદેશ કારોબારી ખાતે આપવામાં આવ્યું હતું જે અન્વયે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા જિલ્લા સ્તરે કરવામાં આવનાર કામગીરીઓ અંગે જરૂરી સૂચનો અને માહિતીઓ આપવામાં આપવામાં આવી હતી

આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ કમલેશભાઈ પટેલ, શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વલસાડના સંસદસભ્ય શ્રી ડો.કે.સી.પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા સંગઠન ના હોદ્દેદારો, વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ,વિવિધ મંડળ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા મીડીયા, સોશિયલ મીડીયા, આઈ.ટી. ના જિલ્લા કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.