વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના લીમઝર વિભાગના શ્રી સાઈ શ્રદ્ધા ગ્રુપ દ્ધારા આયોજીત શિરડી સાઈબાબાના દર્શન અર્થે લીમઝરથી ૨૪૦ જેટલા શ્રધ્ધાળુ પગપાળા કરી પદયાત્રીઓ શિરડી જવા રવાના થયા હતા. આ પગપાળા પદયાત્રી ભાવિક ભક્તોને શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરે ગામના સરપંચ બાબુભાઈ પટેલ, વાંસદા તાલુકાના હોદ્દેદારો દ્ધારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રી સાઈ શ્રદ્ધા ગ્રુપના આગેવાન અને પ્રણેતા મુકેશભાઈ પટેલ,પગયાત્રી ઓએ શ્રી કેદારેશ્વર મહાદેવની પૂજા,આરતી ઉતારી ગામના સરપચ શ્રી બાબુભાઇ પટેલે શુભેચ્છા સાથે તમામ પદયાત્રીઓ શિરડી શ્રી સાઈબાબા ના દર્શન કરી પરત ફરે સાથે તમામ ભાવિક ભક્તોની મનોકામના સાઈબાબા પૂર્ણ કરે તેવી શ્રી કેદારેશ્વર મહાદેવના શરણોમાં પ્રાથના કરી હતી.

આ પ્રસગે વાંસદા તાલુકા પ્રમુખ શાંન્તુભાઈ ,ડૉ. વિશાલ પટેલ,ડૉ. લોચન શાસ્ત્રી ,ચંદુભાઈ, યોગેશભાઈ, બીપીનભાઈ માહલા વગેરે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોઆએ આ પગપાળા યાત્રાને પ્રોત્સાહન આપવા હાજર રહ્યા હતા.