રાજપીપળા: અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માત બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને વાહન ચાલકોની ઘનિષ્ટ તપાસ હાથ ધરી બેફામ વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજપીપળા મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ફટકાર્યો દંડ હતો.
Decision News ને મળેલી વિગતો પ્રમાણે રાજપીપળા નગરમાં ટાઉન પોલીસ દ્વારા આજે સવારથી જ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલિસે લાલ આંખ કરી છે. રાજપીપળાના રાજરોક્ષી ટોકીજ આંબેડકર ચોક પાસે ,સફેદ ટાવર, જકાત નાકા, અવધૂત મહારાજ મંદિર અને જિલ્લાની દરેક અવર જવર કરતા રસ્તાઓ પર નાકાબંધી કરી સઘન ચેકીંગ કરવામાં આવી રહી છે.
રાજપીપળા ટાઉન PI આર.જી ચૌધરી, DYSP કૃણાલસિંહ પરમાર ( પ્રોબેશનલ ) સહિત રાજપીપળા પોલીસ મથકના જવાનોની ઉપસ્થિતિમાં વાહનોના કાંચ્ પર કાળી ફિલ્મ લગાવેલ ફોર વ્હિલ, નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ, લાઇસન્સ વિના ગાડી હંકારતા ચાલકો સહિત આર ટી ઓ ના નિયમોનું ભંગ કરતા વાહન માટે તેના ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત કેટલાક વાહનો ડીટેન પણ કરાયા હતા. જેથી બેફામ હંકારતા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

