કપરાડા: કપરાડાના અંતરિયાળ વિસ્તારના વડોલીના ઇસમોએએ ગેરકાયદેસર 6 દેવળો (ચર્ચો) બનાવી સ્થાનિક કક્ષાએ ધર્માંતરણ કરી રહ્યા છે તેમજ નક્સલવાદી પ્રવૃતિઓ કરવાના આક્ષેપો સાથે કડક અને મક્કમ કાર્યવાહી કરવાની માંગણી સાથે આવેદનપત્ર અપાયું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ વિભાગ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ મંત્રી વિજય ગોયલ, વલસાડ જિલ્લા ધરમજાગરણ વિભાગના પ્રમુખ પરિમલ ગરાસીયાના આગેવાનીમાં સ્થાનિક વડોલીના અગ્રણીઓ ઉત્તમભાઈ, ચેન્દરભાઈ સહિત ગ્રામજનોએ કપરાડાના વડોલી ગામમાં કેટલાંક ઇસમોએએ ગેરકાયદેસર 6 દેવળો (ચર્ચો) બનાવી સ્થાનિક કક્ષાએ ધર્માંતરણ અને નક્સલવાદી પ્રવૃતિઓ કરવાના આક્ષેપો કરી વલસાડ કલેકટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું.
તેમનું કહેવું છે કે આ લોકો હિન્દુ આદિવાસી સમાજના કાર્યક્રમોની વિરૂદ્ધ ઝગડો ઊભો કરે છે તેમજ ખ્રિસ્તી બનાવવાની વાતો કરે છે. હવે ગામમાં એક અલગ સ્મશાન ભૂમિની માગણી કરી છે. માંડવા, પેનઢરદેવી, વડોલી અને ધરમપુર તાલુકાના ટુરિઝમ કોરવડમાં પણ જંગલ ખાતાની જમીનમાં ક્રોસ લગાડી દીધા છે.

