ભરૂચ: લોક સભી ચુંટણીની ભાજપ તરફથી તૈયારી ચાલુ થઇ ગઈ હોય તેમ મનસુખ વસાવાએ વિરોધીઓ પર પ્રહાર કરતાં નિવેદન આપ્યું છે કે હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકાવી શકું તેમ છું પણ હરામનો પૈસો મારા ઘરમાં નહિ આવે..

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ડેડિયાપાડામાં લાભાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે તેમના વિરુદ્ધ થયેલા નનામા પત્રના મામલે વિરોધીઓને કહ્યું કે મનસુખ વસાવાને પૈસા બનાવવા હોય તો નગરપાલિકા, નરેગામાં હાથ નાખે ? મારે પૈસા બનવવા હોય તો દહેજ-ઝઘડિયામાં મોટા મોટા ઉધોગો છે જ. પણ હરામનો પૈસો મારા ઘરમાં નહીં આવે. દુનિયાને ઉથલપાથલ કરી નાખું એટલી તાકાત ધરાવું છું. હું સાતેય વિધાનસભામાં જવ છું અને જે સાચી વાત હોય તે કહું છું. જે બાયલા લોકો હોય તે નનામો પત્ર લખે છે.

​​​​​​​​​​​​​​ચૈતર વસાવાની કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે. હારી ગયા તો મારા માથે પાડે. પાલિકા, તાલુકા પંચાયત ડંકે કી ચોટ પર મનસુખ વસાવાએ બનાવી છે. રાતો રાત વિધાનસભાઓ નથી જીત્યાં, કોંગ્રેસ, બીટીપી સામે સંઘર્ષ કર્યો છે. તેમણે કહ્યું કે પાર્ટીનું યોગદાન તો ખરું પણ મારી પણ એટલી તાકાત છે કે દુનિયાને ઉથલપાથલ કરી દવ..