કપરાડા: આજરોજ કપરાડાના મનાલા ગામમાં પોતાના મિત્રના રીક્ષામાં વેચવા માટે શાકભાજી ભરેલી રહેલાં વ્યક્તિને એક પૂર ઝડપે આવેલા ઈકોના ચાલક દ્વારા પાછળથી ઠોકતા વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયાની ઘટના બહાર આવી છે.

Decision News ને મનાલા ગામના સરપંચ જયેન્દ્ર ગાંવિત પાસેથી મળેલી માહિતી મુજબ મનાલા ગામના જ સાનિયાભાઈ સંતુભાઈ સિંધા પોતાના ઘરના આંગણા થી થોડે દુર રસ્તાની સાઈટમાં હટવાડામાં શાકભાજી વેચવા જવા માટે કાપડ વેચવાવા નીકળેલા પોતાના દાવજીભાઇ નામના મિત્રની રીક્ષામાં શાકભાજી ભરી રહ્યા હતા ત્યારે મનાલા ગામના જ નિતેશભાઈ જયંતીભાઈ ચૌધરી પોતાની ઇકો પૂર ઝડપે હંકારીને આવીને રિક્ષાને પાછળથી ઠોકી હતી અને રીક્ષામાં શાકભાજી ભરી રહેલા સાનિયા ભાઈને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું અને ઇકો ચાલક નિતેશભાઈ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

આ અકસ્માતમાં સાનિયાભાઈ સંતુભાઈ સિંધાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે રીક્ષા ચાલક દાવાજીભાઈને પણ ઈજાઓ થવા પામી છે. ઇકો ચાલક નિતેશભાઈ હાલમાં ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ આવી ગઈ હતી અને સાનિયાભાઈની લાશને PM માટે મોકલી આપી હતી.