વાંસદા: ગુજરાતમાં 77 જેટલા નાયબ કલેકટરોને અધિક કલેકટર તરીકે પ્રમોશન આપી દેવાયા છે. છેલ્લા લાંબા સમયથી બઢતીની પ્રતિક્ષા કરતા આ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડરો ગુજરાત સરકારના એડી.સેક્રેટરી અશોક દવે દ્વારા કરી દેવાયા છે.

Decision News ને પ્રાપ્ત જાણકારી મુજબ ગુજરાતમાં 77 નાયબ કલેકટરોને અધિક કલેકટર તરીકે પ્રમોશનના ઓર્ડરો અપાયા જેમાં શ્રી એફ.એ. બાદી (પાલનપુર) પી.ડી. માનસેતા (ગાંધીનગર), જે.એમ. તુવર (મહેસાણા), સી.એન. ભાભોર (વડોદરા), ડી.એમ. ગોહિલ (તાપી) જી.ડી. પ્રજાપતી (આણંદ) એસ.એમ. વસાવા (નર્મદા), પી.એસ. ઠકકર (સુરત), એમ.કે. પરીખ (ગાંધીનગર), ડી.એમ. સતાણી (પ્રાંત ઓફિસર બોટાદ), આર.એમ. ગાબાણી (ગાંધીનગર), એ. એસ. મંડોત (ડે.ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ ઓફીસર જામનગર), એન.ડી. ગોવાણી (પ્રાંત ઓફીસર લાલપુર), પી.એ. જાડેજા (જુનાગઢ), એ.બી. રાદડીયા (દિલ્હી), એન.આર. પટેલ (ગાંધીનગર), ટી.એચ. જોષી (ગોવા) એસ.જે. ચાવડા (અમદાવાદ), વી.સી. ગોદાણા (ખેડા) એન.કે. પરીખ (બનાસકાંઠા), જી.આર. પંડયા (ગાંધીનગર) એચ.એમ. પટેલ (સુરત), વાય.પી. જોષી (ડાંગ)ને અધિક કલેકટર તરીકે બદલી આપવામાં આવી છે.

આ ઉપરાંત એસ.એ. ડોડીયા (બનાસકાંઠા) કે.એ. વાઘેલા (કલોલ), કે.એસ. ડાભી (થરાદ) આઈ.એસ. પ્રજાપતી (ગાંધીનગર) ડી.વી. મકવાણા (ગાંધીનગર), આર.જે. પટેલ (સાબરકાંઠા) જી.જી. દેવમણી (ભાવનગર), એ.બી. પટેલ (ગાંધીનગર) એન.એચ. પટેલ (ગાંધીનગર) ડી.બી. રાઠોડ (તાપી) એસ.ડી. બોખલાણી (રાજપીપળા), એલ.એ. પટેલ (આણંદ). આર.સી. પટેલ (સુરત), બી.આર. આહીર (ગાંધીનગર), પી.પી. પટેલ ગાંધીનગર સહિતના 77 નાયબ કલેકટરોને અધિક કલેકટર તરીકે બઢતી દેવાઈ છે. આ અધિકારીઓને પોસ્ટીંગના ઓર્ડરો રાજય સરકાર દ્વારા હવે પછી કાઢવામાં આવશે.