ધરમપુર: ઘોર કલિયુગ.. એક વ્યક્તિનું અર્ધ શરીર ગણાતી પત્ની પણ આવી હોય.. માનવામાં ન આવે પણ ધરમપુર તાલુકાના તામછડીથી કોરવડ જતા રોડની સાઈડ પરથી 28મી તારીખે જે અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી તે મુકેશ પટેલ નામના યુવાનની હતી જેની હત્યા તેમની પત્નીએ તેના પ્રેમી અને મિત્ર સાથે મળીને કરી નાખી હોવાનું સત્ય બહાર આવ્યું છે .

Decision News ને મળેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમી સાથે જ રહેતી દિવ્યાનીબેન તેના પતિ પાસે છુટાછેડા માગતી હતી. પણ સંતાનો હોવાના લીધે મુકેશ પટેલ છુટાછેડા આપવા રાજી ન હતો તેથી દિવ્યાનીબેન તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સાથે મળીને મુકેશ પટેલની હત્યા કરી નાંખી હોવાનો પોલીસ સમક્ષ દિવ્યાનીબેન દ્વારા જ ખુલાસો કરાયો છે. દિવ્યાનીબેને મુકેશ પર કુહાડીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી અને ત્યાર પછી દિવ્યાનીબેનનો પ્રેમી સંજય પંડિત અને તેના મિત્ર દ્વારા કોથળામાં ભરીને એકટીવા પર 30 કિમી દુર તામછડીથી કોરવડ જતા રોડની સાઈડ પર ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્યાની પોલીસ સામે કબુલે છે કે મુકેશને સાથે લગ્નજીવનમાં મનમેળ ન રહેતા તે છેલ્લા ત્રણ વર્ષથી તેના પ્રેમી સંજય પંડિત સાથે બારોલિયા ખાતે રહે છે. પ્રેમી સાથે રહી શકે તે માટે હું વારંવાર મુકેશ પાસે છુટાછેડા માગતી હતી. પરંતુ, મુકેશ સંતાનોના ભવિષ્યની ચિંતા કરી છુટાછેડા આપવાનો ઈન્કાર કરતો હતો. 26મેંના દિવસે મેં મુકેશને કામ હોવાનું કહી બારોલિયા બોલાવ્યો હતો અને છુટાછેડા આપવા માટે કહ્યું હતું. પરંતુ, મુકેશે ઈન્કાર કરતા મેં કુહાડીના ઘા મારી હત્યા નિપજાવી હતી.