ધરમપુર: અમુક અધિકારીઓ દ્વારા આદિવાસી લોકોને માનસિક ત્રાસ આપવાનું ઘટનાઓ ઘટિત થઇ રહી છે ત્યારે ગતરોજ આવી ઘટના ધરમપુર તાલુકામાં સામે આવી છે TDO ધરમપુરને સી.ડી.પી.ઓ જ્યોતિ ટંડેલ દ્વારા ધરમપુર ઘટક -૧ ની આંગણવાડી વર્કર બહેનોને માનસિક ત્રાસ અને આદિવાસી ભુસ્કા છો જેવા જાતિવિષયક ગાળો આપવાને લઈને ફરિયાદ કરવામાં આવી હતી

Decision News ને મળેલી માહિતી પ્રમાણે બહેનોનું કહેવું છે કે સી.ડી.પી.ઓ જ્યોતિ ટંડેલે ધરમપુર ઘટક-1 ની આશરે 118 જેટલી આંગણવાડી વર્કર બહેનોને માનસિક ત્રાસ અને આદિવાસી ભુસ્કા છો જેવા જાતિ વિષયક ગાળો આપે છે. તે આદિવાસીઓને માણસ નથી સમજતી નથી. એની માનશીકતા ખુબ જ નિમ્નકક્ષાની છે. અધિકારીના પદને લાયક નથી.

આંગણવાડી વર્કર બહેનો જણાવે છે કે એમને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવે અને આ સી.ડી.પી.ઓ. જ્યોતિ ટંડેલ પર એટ્રોસિટી એકટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે એવી ફરિયાદ અમે ધરમપુરના TDO ને કરીએ છીએ.