મોટાપોંઢા: ગતરોજ મોટાપોંઢા ગામના ૧૫ જેટલા ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે નમ્બર 56 ના જમીન સંપાદનના પરિપત્રના વિરોધમાં વાંધા અરજીઓ આદિવાસી નેતા કમલેશ પટેલના આગેવાનીમાં ધરમપુર નાયબ કલેકટરને આપવામાં આવી હતી.
ઉલ્લખનીય છે કે નેશનલ હાઇવે નમ્બર 56ના નિર્માણ માટે આદિવાસી વિસ્તારોના અમુક ગામોની જમીન સંપાદન કરવામાં આવનાર છે જેને લઈને અસરગ્રસ્ત થનાર ખેડૂતોમાં ભારે નારજગી અને વહીવટીતંત્ર આ કામગીરી વિરુદ્ધ આક્રોશ છે ત્યારે ગતરોજ મોટાપોંઢા ગામના ૧૫ જેટલા ખેડૂતોએ ધરમપુર નાયબ કલેકટરની સામે વાંધા અરજીઓ રજુ કરી હતી.
આ પ્રસંગે આદિવાસી આગેવાન કમલેશ પટેલે Decision News ને જણાવ્યું કે ગરીબ આદિવાસી ખેડૂતો જમીન વિહોણા ઘર વિહોણા અને ધંધામાંથી બેરોજગાર થઇ જશે. આ ઉપરાંત આદિવાસી ખેડૂતોનું મોટા પાયામાં નુકસાન થશે. આ વિસ્તારમાં આટલા મોટા રસ્તાની જરૂર નથી અને ભવિષ્યમાં આંદોલન કરવાની જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરી આંદોલન પણ કરીશું.

