વઘઇ: મોતના જોખમે અભ્યાસ કરી રહ્યા હોય તેમ ધો.8 માં અભ્યાસ કરતો વઘઈ તાલુકાની શિવારીમાળ અંધજન શાળાનો દિવ્યાંગ વિદ્યાર્થી નદીનાં ચેકડેમમાં નાહતી વેળાએ ડૂબી જવાના કારણે મૃત્યુ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વઘઇની શિવારીમાળ ગામમાં આવેલી અંધજન આશ્રમશાળામાંથી ધોરણ-8માં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી સતીષ રમેશભાઈ જોપળે બીજા દિવ્યાંગ વિદ્યાર્થીઓ જોડે ચીંચવાંગણનાં ચેકડેમમાં નાહવા તથા કપડા ધોવા ગયા હતા ત્યારે બીજા વિદ્યાર્થીઓ આશ્રમશાળાના હોસ્ટેલમાં પરત ફર્યા પણ સતીષ જોપળે પરત ફર્યો ન હતો.
શાળાનાં સંચાલક અને આચાર્યએ શોધખોળ કરી તો ચેકડેમન કિનારે દિવ્યાંગ બાળકનાં કપડા હતા ત્યારે ચેકડેમનાં પાણીમાં તરવૈયાઓ તપાસ કરાવતાં તરતી હાલતમાં સતીશ જોપળે ની લાશ મળી આવી હતી. પણ હાલમાં લોકચર્ચા દિવ્યાંગ વિદ્યાર્થી સતિષ જોપળેના મૃત્યુ અંગે વિવાદ ઉભો થયો છે..કે બાળકનું મૃત્યુ ખરેખર પાણીમાં ડૂબી જવાથી થયું કે પછી બીજી રીતે ?

