કપરાડા: વર્તમાન સમયમાં યુવાનોમાં બેરોજગારી જોવા મળી રહી છે ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં 10 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો BVK ગ્રુપ દ્વારા લોકસેવાના ઉદેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે લોકસેવાના ઉદેશ્ય સાથે BVK ગ્રુપ દ્વારા દમણ સેલવાસ વાપીમાં સ્થાપિત મોટી કંપનીઓમાં ડાયરેકટ રોજગારની તકો ઉભી કરવામાં માટે વલસાડ જિલ્લાના કપરાડા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં 10 માર્ચના રોજ રોજગાર ભરતી મેલો BVK ગ્રુપ દ્વારા આયોજન કરાયું છે. જેનું ઈન્ટરવ્યું તારીખ 10- 03-2023 મંગળવાર સમય બપોરે 10 વાગ્યે સ્થળ પર જ લેવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આદિવાસી સંઘ કપરાડાના પ્રમુખ ભાસ્કર ભાઈ પી. શીંગાડે દ્વારા થશે.
ભરતી મેળામાં નોકરી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10 પાસ નાપાસ 12 પાસ નાપાસ આઈ ટી આઈ BA B.R.S, MSW ડીપ્લોમાં ડીગ્રી એન્જીનીયરીંગમાં કોઈ પણ ફેકલ્ટી ઇલેક્ટ્રિક મેકેનીકલના ઉમેદવાર ઈન્ટરવ્યું આપી શકાશે. દરેક કંપનીમાં નોકરીમાં સમય 8 કલાકનો રેહશે અને પગાર 12,000 થી 20,000 યોગ્યતા મુજબ આપવામાં આવશે

