વાંસદા: પ્રેમ છે કે પાગલપન.. પિતાએ થોડી વાર લગ્નની રાહ જોવાનું કહ્યું પણ પોતાની પ્રિયસીને પામવામાં ઉતાવળ કરતાં મહુવા તાલુકાના આંગલધરામાં રહેતા યુવાને વાંસદાના તાલુકાના સિંગાડ ગામે નિશાળ ફળિયાના ઘરે આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આગ લગાવી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision News ને મળેલી વિગતો મુજબ મહુવા તાલુકાના આંગલધરા ગામના નિશાળ ફળિયામાં રહેતો રિતેશભાઈએ પિતા ઠાકોરભાઈને ૨૨ ફેબ્રુઆરીએ જઈને કહ્યું કે મારે વાંસદા તાલુકાના સિંગાડમાં રહેતી એક તરુણી સાથે લગ્ન કરવા છે તે મને ખુબ ગમે છે. પિતાએ કહ્યું કે, તરુણીની ઉંમર નાની છે જેથી તેની ઉંમર પૂર્ણ થાય એટલે તારા લગ્ન કરાવી દઈશું અત્યારે લગ્ન ન થઈ શકે. પણ રીતેશને ઉતાવળ હોય તેમ રાત્રીના 11 વાગ્યાના સમયગાળામાં સિંગાડ ગામમાં તરુણીના ઘરે ડીઝલ લઈને પોહચી ગયો હતો અને પોતાના શરીર ડીઝલ છાંટી પોતે જ આગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
એવું જાણવા મળ્યું છે કે જયારે રીતેશ આગમાં સળગી રહ્યો હતો ત્યારે તેને તરુણીના પિતાએ બચાવવાની કોશિશ કરી હતી જેમાં તે પણ દાઝી ગયા હતા. જેને તરુણી વાંસદા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. આ આત્મહત્યાને લઈને હાલમાં વાંસદા પોલીસ આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ આગળ વધારી છે.

