ચીખલી: આજરોજ ડૉ. બી આર આંબેડકર પુસ્તકાલય કાકડવેલ ચીખલી ખાતે આવનાર જુનીયર ક્લાર્ક, તલાટી અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ગામના સરપંચ નટુભાઈ, ડે. સરપંચ નિલેશભાઈ, ગામના સમાજસેવી અગ્રણી એવા રણજીતભાઇ, દૂધ ડેરી સંચાલક મહેન્દ્રભાઈ દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.

આ સેમિનારમાં ઘણા બધા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો. સેમિનારના મુખ્ય મહેમાન બનેલા નિરલ પટેલ જણાવે છે કે મને સેમીનારમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને ઉમેદવારો સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો. ઘણા બધા ઉમેદવારોની વેદના પણ સાંભળી અને ભવિષ્યમાં ન માત્ર સરકારી નોકરી પર નિર્ભર રહેવાના બદલે કોઈપણ પ્રકારના ધંધા રોજગાર કરી પગભર થવા માટે મેં સલાહ સૂચનો કર્યા હતા

નિરલ પટેલ કહે છે..

અંધકારથી ભરેલી દરેક સાંજ નથી હોતી,
પ્રતિભા કોઇ પરીક્ષાની મોહતાજ નથી હોતી.
સફળતા દરેક વહેમ ને ખોટા પાડે છે એટેલે જ,
ડૂબતા સૂરજના પણ લોકો ફોટા પાડે છે.
વધે છે અંધકાર જ્યારે મધ્યરાત્રીનો,
અજવાળા થવાનો એ આગાશ હોય છે.
મળે છે નિષ્ફળતા જીંદગીમાં જ્યારે,
સફળતાની એજ સાચી શરૂઆત હોય છે.

રસપ્રદ વાત તો એ હતી કે એક નાનકડું ગામ પણ ગામના અગ્રણીઓ દ્વારા આર્થિક રીતે પછાત ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ફંડ ભેગુ કરી લાઇબ્રેરી બનાવેલ હતી જે એક ગામની શોભા વધારતી હતી. અંતે બધા ઉમેદવારો ને નાસીપાસ થયા વગર જીવનમાં આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.