પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

વઘઇ: ગતરોજ વઘઇ આદર્શ નિવાસી શાળામાં છાત્રાલયમાં રહી ધોરણ- 10 માં અભ્યાસ કરતા વઘઈ તાલુકાના સરવર ગામમાં રહેતા 15 વર્ષના સુમિત દિપકભાઈ ગાઈન શાળાનાં આચાર્ય કે વોર્ડનને જાણ કર્યા બુધવારે ક્યાંક જતો રહ્યો હતો જેની  ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વઘઈ તાલુકાના સરવર ગામમાં રહેતા ધોરણ 10 માં અભ્યાસ કરતા સુમિત દિપકભાઈ ગાઈન શાળાનાં આચાર્ય કે વોર્ડનને જાણ શાળામાંથી બુધવારે જતો રહ્યો હતો. ગતરોજ વઘઇ નજીકનાં તકલીખાડીનાં પાટાની બાજુમાં સાગના વૃક્ષની સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસને આ બનાવની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પોહચી વિદ્યાર્થીના લાશનો કબજો લઇ આપઘાતના કારણો તપાસ આદરી છે.

હાલમાં આ વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે વિશેના સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આ મુદ્દે શાળાનાં આચાર્ય જશુબેન પટેલ જણાવે છે કે સુમિત ગાઈન ભણવામાં હોંશિયાર હતો. પણ બુધવારે તે રજા લીધા વગર જતો રહ્યો હતો ત્યાર બાદ ગતરોજ અગમ્ય કારણોસર વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ખુબ જ દુ:ખદ ઘટના બની છે.