ધરમપુર: ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.. આવું કઈ આશ્રમ શાળાના બાળક સાથે થયું ગતરોજ ધરમપુરના જાગેરી આશ્રમમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી DPમાં ડિયું બદલવા જતા કરંટ લાગ્યો અને ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હોવાની ઘટના સામે આવી છે.
ધરમપુરના જાગીરી ગામમાં આવેલી આશ્રમ શાળાના 3 વિદ્યાર્થીઓ 31ની રાત્રીએ આશ્રમ શાળાની બહાર આવી નજીકમાં આવેલા DPમાં એક વિદ્યાર્થી દ્વારા ડિયું બદલવા જતા કરંટ લાગ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક યુવક દ્વારા બાઇક પર જઈ આશ્રમ શાળાના અધિકારીને કરાઈ હતી. ત્યાર બાદ 108 ની મદદથી પાસે આવેલા દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો પણ તેનું મૃત્યુ થઇ ચુક્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ધરમપુર પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે ધરમપુરના જાગીરી ગામમાં આવેલી આશ્રમ શાળામાં 31મી રાત્રીએ બાળકોને 9:30 કલાકે તેમના રૂમમાં ઊંઘવાની સૂચના આપી હતી. જે બાદ આશ્રમ શાળાના શિક્ષકની જાણ બહાર આશ્રમ શાળાના 3 વિદ્યાર્થીઓ દુકાનમાં કોલડ્રિન્ક પીવા ગયા હતા. ત્યાંથી નજીકમાં આવેલા DPમાં ડિયું બદલવા ગયો હતો. જે દરમ્યાન એક વિદ્યાર્થીની કરંટ લાગતા મોત નીપજ્યું હતું.
ગતરોજ જાગીરી આશ્રમ શાળા ખાતે અને ઘટના સ્થળે વીજ કંપનીના અધિકારીઓ એ તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસ દરમ્યાન વિદ્યાર્થીના ચપ્પલ અને એક લાકડી મળી આવી હતી. વિદ્યાર્થી DPમાં ડિયું બદલવા ગયો હોવાથી વિદ્યાથીનું મોત નીપજ્યું હોવાનું વીજ કંપનીના અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

