ગુજરાત: ગતરોજ ગુજરાતમાં 1972ની બેચના IAS અધિકારી અને મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમએ વડોદરામાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. જેને લઈને સમગ્ર ગુજરાતમાં શોકમય વાતાવરણ છવાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નીતિ-સંબંધિત મુદ્દાઓની તેમની સમજણ અને કાર્યલક્ષી ખૂબ જ ઉપયોગી થઈ હતી. સુબ્રમણ્યમ પૂર્વ IAS અધિકારી જેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે ટ્વિટ કર્યું, પીઢ અમલદાર ડૉ. મંજુલા સુબ્રમણ્યમ જીના નિધનથી દુઃખી છું, તેમના પરિવાર અને સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. તેઓ નીતિ સંબંધિત મુદ્દાઓની સમજણ અને કાર્યલક્ષી અભિગમ માટે જાણીતી હતા.

